November 29th 2007

આદુ કચરતાં – એક અવલોકન

      અહીં દરરોજ ચા બનાવવાનું મારું કામ. અને મને તે ગમે પણ ખરું હોં!  છ વર્શમાં મારો હાથ પણ સારો એવો બેસી ગયો છે. એકધારી ‘સુરેશ જાની ‘ બ્રાન્ડ ચા બને! હું ચામાં કચરેલું આદુ અને ઇલાયચી નાંખું છું. ઈલાયચીનો પાવડર તો મારાં પત્નીએ તૈયાર રાખેલો હોય છે;  પણ આદુ કચરવાની મારી આગવી શૈલી છે! હું આદુને ચપ્પુથી સમારી પાતળી ચીરીઓ કરું; અને પછી સાંડસીથી કચરી, ગરમ થતા પાણીમાં નાંખું. દીવસમાં બે કે ત્રણ વાર ચા બને. દરેક વખતે આદુ કચરવાની આ જ રીત.

      લે કર વાત! આમાં શી ધાડ મારી?

———————————————–

    પણ તે દીવસે આદુ કચરતાં વીચારવાયુ ઉભરાયો! મને થયું : ‘આ આદુને કચરું છું તેના કરતાં બેકયાર્ડમાં પોચી માટીની સરસ ક્યારી બનાવી, તેમાં ખાતર નાંખી, રોપું તો કેવો સરસ મઝાનો છોડ થાય ? અને બે ત્રણ મહીનામાં તો ખાસ્સા નવા આદુ પણ મળે. મહામુલા ડોલરની કેવી બચત થાય?

     વાપરવું સહેલ છે, સંવર્ધન કરવું જ કઠણ છે. પણ સંવર્ધનથી જ નવરચના થાય છે ને ? 

     અને આ નીર્જીવ લાગતા આદુમાં ય બચાડો કોઈ જીવ તો છે જ ને? આ સુક્ષ્મ હીંસા જ કરી ને ? રસોડામાં બધી સામગ્રી પર નજર નાંખી તો એક માત્ર મીઠું જ નીર્જીવ ચીજ જણાયું. અને તે ય જ્યારે અગરમાં બન્યું હશે, ત્યારે ભરતી સાથે આવી ગયેલા પાણીની સાથે કેટલા ય દરીયાઈ જીવ પણ ફસાયા જ હશે ને? એ બધાની આહુતી આપ્યા વગર આ મીઠું ય બની શકે ખરું?

      આ દુધ વાપરીએ છીએ, તે ય શું સાચે સાચ અહીંસક છે? કોને માટે કેવા અગમ્ય પ્રેમથી પ્રકૃતીએ તે બનાવ્યું, અને કોણ તે વાપરે છે?

      શું જીવનના પાયામાં જ હીંસા છે? કેવળ અહીંસા શક્ય છે ખરી?  

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment